Page Views: 31581

દેવેન્દ્ર ફડનવીસે કહ્યું બીકેસીમાંથી જે હીરા વાળાને સુરત ડાયમંડ બુર્સમાં જવુ હોય તેમને જવા દો

એક કાર્યક્રમમાં દેવેન્દ્ર ફડનવીસે એવો પણ દાવો કર્યો કે મહારાષ્ટ્રમાં અમે વધુ રોકાણ લાવીશુ

મુંબઇ-વર્તમાન ન્યૂઝ.કોમ

મુંબઇ ખાતેથી સુરતમાં બનેલા ડાયમંડ બુર્સમાં હીરાના વેપારીઓ શીફટ થઇ રહ્યા હોવાની વાતને મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રીએ હળવાશથી લીધી હતી. તેમજ એવુ કહ્યું હતું કે, જેમને સુરતમાં જવુ હોય તેમને જવા દો, અમે મહારાષ્ટ્રમાં વધારે રોકાણ લાવીશુ.

આ અંગે હાર્દિક હુંડીયાએ જણાવ્યુ છે કે, એક સ્થાનિક કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડનવીસ હજર હતા અને તેમણે એક પ્રશ્નના જવાબમાં એવુ જણાવ્યું હતું કે, મુંબઇના બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ ખાતેથી હીરાના વેપારીઓ મોટી સંખ્યામાં સુરત ડાયમંડ બુર્સ ખાતે જઇ રહ્યા છે. જે લોકો જઇ રહ્યા છે તેમને જવા દો, મહારાષ્ટ્રમાં દિલ્હી, તામિલનાડું અને આંન્ધ્ર પ્રદેશ તેમજ ગુજરાત કરતા વધારે રોકાણ આવ્યુ છે. આગામી દિવસોમાં અમે તેના કરતા પણ વધારે રોકાણ લાવીશું. હીરા ઉદ્યોગકારોની નવી પેઢી છે તેમને મુંબઇથી શીફટ થવુ જ નથી.