સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ
આશિષભાઈ અને તેમનો સમગ્ર પરિવાર અને મિત્રો દ્વારા સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપ,સુરત અને સાર્થક ગ્રુપ, સુરતના સભ્ય હોય જેઓ ૩૦ વર્ષોથી રક્તદાન માટે આયોજન કરતા આવે છે. સેવા યુથ ક્લબ ગોંડલ ગ્રુપે હમણાંજ 30 મો રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 725 રક્ત યુનિટ એકત્રિત કર્યું હતું. આશિષભાઈ સેવા યુદ્ધ ક્લબ ગોંડલ ગ્રુપ અને સાર્થક ગ્રુપ ગોંડલના સભ્ય હતા જે સેવા ભાવિ સંસ્થા છે જે સંસ્થાના પ્રમુખ ટી.કે. પટેલ અને કે.ડી. પટેલ છે. 42 સભ્યોથી આ ગ્રુપ ચાલે છે, આ ગ્રુપ આર્થિક રીતે જરૂરિયાત મંદ લોકોને મદદ પૂરી પાડે છે આ ગ્રુપના સભ્યોને આર્થિક ભારે નહીં આવે એ માટે પોતાના પાસે થયેલ બચતને એની પાછળ વાપરે છે.
આશિષભાઈ બે દિવસ પહેલા મિત્ર સાથે બેઠા હતા અને વાતો કરતા હતા એ દરમિયાન પોતાની જીભ લથડતા મિત્રોઓ તેમને સુરતની વિનસ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં તેમના રીપોર્ટની તપાસ કરતા બ્રેઈન નો પ્રોબલમ જણતા તેઓની સર્જરી કરવામાં આવી, દર્દીની ઘણી સારવાર બાદ ડો. સંજય ખુંટ, ડો. આકાશ બારડ, ડો. જીગ્નેશ ગેંગડીયા, ડો. પ્રેક્ષા ગોયલ દ્વારા તેઓને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
પોતાનું સ્વજન બ્રેઈન ડેડ ના સમાચાર મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ.ગોંડલિયા , વિપુલ તળાવીયા અને ડો. નિલેશ કાછડિયા નો સંપર્ક કરવામાં આવ્યો હતો, તેમના પરિવારના તમામ સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને પ્રક્રિયા સમજાવી માહિતી આપવામાં આવી હતી. આ પરિવારના મોભી અને દર્દીના પિતા વિનુભાઈ અને નાનાભાઈ એ અંગદાન માટે સંકલ્પ કર્યો, પિતા વિનુભાઈ, પત્ની સેજલબેન, આનંદભાઈ સેવાયુથ ગ્રુપ સભ્ય ટી.કે.પટેલ ડી.કે.પટેલ, ભાવેશભાઈ ભુવા, મનીષભાઈ રૈયાણી, રાકેશભાઈ રૂપારેલીયા દ્વારા સંમતિ મળતા આ અંગદાન માટેની પ્રક્રિયા સોટોમાં રજીસ્ટ્રેશન સાથે શરૂ કરવામાં આવી હતી. પરિવારજનોની સંમતી મળતા સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ(સોટો) અને નોટો નો સંપર્ક કરી હદય, લિવર, કીડની અને ચક્ષુઓના દાન માટે જણાવ્યું હતું.
ગુજરાત સરકારની સોટો સંસ્થા દ્વારા ડો. પ્રાંજલ મોદી, પ્રિયાબેન શાહ, યુ. એન. મહેતા હોસ્પિટલના ડો. કાર્તિક પટેલ, ડો. પ્રતિક માણેક, ડો. હિરેન દ્વારા હદયનું દાન સ્વીકારવામાં આવ્યું હતું, તેમજ ઝાયડ્સ હોસ્પિટલ ટિમ દ્વારા બે કીડની અને લિવર નું દાન સ્વીકારવામાં આવ્યું હતું, અને બંને આંખનું દાન લોક્દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડૉ. પ્રફુલભાઈ શિરોયાના માધ્યમથી સ્વીકારવામાં આવ્યું હતું.
સુરતની વિનસ હોસ્પિટલ થી સુરત એરપોટ સુધી ગ્રીન કોરીડોર બનાવી સમય સર , અમદાવાદ એરપોર્ટ પહોંચીને યુ.એન.મહેતા હોસ્પિટલ, સિવિલ અને ઝાયડ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરીડોર બનાવવા માટે ગુજરાત પોલીસનો સહકાર મળ્યો હતો. અંગદાન કરવાની સમગ્ર પ્રકિયામાં વિનસ હોસ્પિટલના એડમીન ડો. અંકિત દેસાઈ, ડો. વીરેન પટેલ, શૈલેશ થીગડે, જીવનદીપ ઓર્ગનડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર- પી.એમ.ગોંડલિયા,ડો.નીલેશ કાછડિયા, વિપુલ તળાવીયા, પાર્થ ગઢિયા, નીતિનભાઈ ધામેલીયા, સાગર કોરાટ, ચિરાગ કુકડિયા, ભાવેશ દેસાઈ, નિકુંજ મુલાણી, અલ્પેશ દુધાત, હર્ષ પાઠક, મિલન રાખોલિયા, મિલન તળાવીયા અને સમગ્ર વિનસ હોસ્પિટલ હોસ્પિટલ સ્ટાફ પરિવાર તેમજ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના સંકલનથી આ સફળ ઓર્ગન ડોનેશન સુરત ખાતેથી કરવામાં આવ્યું હતું.
અંગદાન માટે જાગૃતિ લાવવા તમામ પ્રેસ , ઈલેક્ટ્રોનિક મીડિયા, OTT પ્લેટફોર્મ અને વિવિધ સોશ્યલ મીડિયાનો ખુબજ સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે જેથી આ સંસ્થાના માધ્યમથી ૧૫મું ઓર્ગન ડોનેશન કરાવવામાં આવ્યું હતું. "જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૧૫મુ અંગદાન પટેલ સમાજના સખીયા પરિવારના યુવાનુ હદય, લિવર, બંને કીડની અને ચક્ષુઓનું દાન વિનસ હોસ્પિટલમાંથી કરાવવામાં આવ્યું"
• Share •