Page Views: 5138

બાગેશ્વર બાબાએ સુરતમાં કહ્યું, ધર્માંન્તરણ કરનારા આદિવાસીઓની ઘર વાપસીના પ્રયાસો રહેશે

તમામ પાર્ટીના નેતાઓ મારા શિષ્યો છે અને હનુમાનજીનો લંકામાં વિરોધ થયો હતો તેઓ તેનાથી વિચલિત થયા ન હતા તો હું શા માટે વિચલિત થાઉ

સુરત-વર્તમાન ન્યૂઝ.કોમ 

કેટલાક લોકોના વિરોધ વચ્ચે આજે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે લાગ્યો હતો. બાબાનાં દર્શન કરવા માટે મુંબઈથી લોકો આવ્યા છે સાથો સાથ સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. આ વિસ્તારના આદિવાસીઓ વચ્ચે જઈ કથાનું આયોજન કરીશ અને તેમની ઘરવાપસી કરાવીશ. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે.  હું એક જ હનુમાનજીની પાર્ટીનો છું  સુરત જિલ્લા સહિત અલગ અલગ જિલ્લા અને અન્ય રાજ્યમાંથી બે લાખથી વધુ લોકો દિવ્ય દરબારમાં આવે તેવી સંભાવના છે. સુરતના બાગેશ્વર ધામના દિવ્ય દરબારમાં સુરક્ષાનો લોખંડી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.ત્યારે આ દિવ્ય દરબાર યોજાય એ પહેલા બાબા બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીએ  નિવેદન આપતા કહ્યું હતું કે, ‘ભારત દેશ હિન્દૂ રાષ્ટ્ર જાહેર થવો જોઈએ, હનુમાનજી લંકા ગયા હતા ત્યારે તેમનો પણ વિરોધ થયો હતો, હું કોઈ પણ પાર્ટીનો નથી, હું એક જ હનુમાનજીની પાર્ટીનો છું. હિન્દૂ રાષ્ટ્ર કેવી રીતે બનાવવું એ મારૂ લક્ષ્ય સનાતન જ છે. રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં તેમનો દરબાર યોજાશે. અહીં ખાસ વાત એ છે કે, બાબા બાગેશ્વર માટે સાળંગપુરથી સુરતમાં હનુમાનજીની ગદા આવી છે. હવે બાબા ભારત દેશમાં જ્યાં પણ જશે ત્યાં આ ગદા તેમની સાથે સાથે ફરશે. બાબા હનુમાનજી મહારાજના ભક્ત છે અને એવું કહેવાય છે કે શક્તિ અને હિંદુત્વનું પ્રતિક હનુમાનજીની ગદા છે. હનુમાનજીનો પણ લંકામાં વિરોધ થયો હતો પરંતુ તેઓ લંકામાં વિચલિત થયા ન હતા અને તેઓએ રામ કાર્ય કર્યું હતું. હું પણ સનાતન ધર્મ માટે રામ કાર્ય કરવા માટે સંકલ્પ બધ્ધ છું અને મારો  વિરોધ કરનારાથી હું વિચલિત થવાનો નથી.