સુરત મહાનગરપાલિકાના વિરોધ પક્ષ એવા આમ આદમી પાર્ટીના પાંચ કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. આ પક્ષ પલટો કરનાર તમામ કોર્પોરેટરોના પદ રદ કરવાની માંગ સાથે આજે આપ પાર્ટી દ્વારા પાલિકા કમિશ્નરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
સુરત આમ આદમી પાર્ટીના ૨૭ કોર્પોરેટરોમાંથી પાંચ કોર્પોરેટરોએ આપ સાથે છેડો ફાડીને ભગવો ખેસ પહેર્યો હતો. જેમાં વોર્ડ નંબર ૨ના ભાવના સોલંકી, વોર્ડ નંબર ૩ના ઋતા કાકડિયા, વોર્ડ નંબર ૫ના મનીષા કુકડિયા, વોર્ડ નંબર ૮ના જયોતિકા લાઠીયા તેમજ વોર્ડ નંબર ૧૬ના વિપુલ મોવલીયાનો સમાવેશ થાય છે. જે તમામે પક્ષ પલટો કરીને અન્ય પક્ષમાં જોડાયા હતા. આ આમ આદમી પાર્ટી માંથી ચુંટણી લડીને કોર્પોરેટર બન્યા બાદ પક્ષ બદલી ભાજપમાં જોડાયા હતા. જેથી તેમનું સુરત કોર્પોરેશનમાંથી એક કોર્પોરેટર તરીકેનું પદ રદ કરવામાં આવે અને તેમન વિરુદ્ધ પક્ષાંતર ધારા પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે તે માટે સુરત મનપા કમિશનર ને આજે આપ પાર્ટી દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
• Share •