Page Views: 2287

26મી જાન્યુઆરીની ઉજવણીની તડામારમાં તૈયારી : ભગવાન તિરંગાના રંગે રંગાયા

રામજી મંદિરમાં ભગવાનને તિરંગા વાઘા પહેરાવવામાં આવ્યા 

સુરતમાં આવતીકાલે 26મી જાન્યુઆરીની ઉજવણી નિમિત્તે તડામારમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે શહેરના એલ.પી.સવાણી રોડ આવેલી શ્રિપદ રેસિડેન્શિયલ ખાતે રામજી મંદિરમાં ભગવાનને તિરંગા વાધા પહેરાવી દેશભક્તિને ઉજાગર કરવામાં આવી છે. 

આવતીકાલે 26 મી જાન્યુઆરી સુરત શહેરમાં ઉજવણી કરવામાં આવશે આ દિવસે વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા આન બાન અને શાન રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવશે 26મી જાન્યુઆરી નિમિત્તે શહેરમાં એલ.પી.સવાણી રોડ ઉપર આવેલી શ્રીપદ રેસિડેન્સીયલ ખાતેના રામજી મંદિરમાં પણ ઉજવણીની તૈયારી કરવામાં આવી છે જ્યાં ભગવાનને તિરંગા વાઘા પહેરાવવામાં આવ્યા આ મંદિરમાં દર વર્ષે અલગ-અલગ તહેવારોમાં અલગ-અલગ રંગના ભક્તો દ્વારા ભગવાનને વાઘા પહેરાવવામાં આવતા હોય છે એ જ રીતે આવતીકાલે 26મી જાન્યુઆરી હોવાથી તિરંગા વાઘા પહેરાવવામાં આવ્યા  હોવાનું જણાવ્યું હતું