Page Views: 8178

સેવા ગ્રુપ દ્વારા અમરોલી કંચનમાં માનવ જીવન સેવા ટ્રસ્ટ આશ્રમમાં અન્નદાન

સેવા ગ્રુપ દ્વારા દર મહિને જરૂરીયાતમંદ લોકોને આવશ્યક ચીજ વસ્તુઓ આપીને સેવા કરવામાં આવે છે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

સુરત શહેરમાં સેવા ગ્રુપ દ્વારા અનેક પ્રકારની સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગત રોજ શહેરના અમરોલી સાયણ રોડ પર આવેલા કંચનમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે સેવા ગ્રુપ દ્વારા અનાજ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને માનસિક રીતે દિવ્યાંગ લોકોની વચ્ચે સેવાકાર્ય કરવામાં આવ્યુ હતું.  

સેવા ગ્રુપના સ્થાપક ગીતાબેન પુજારા, ભરતભાઇ જાની, મીતાબેન દવે સહિતના સભ્યો દ્વારા અમરોલી સાયણ રોડ પર આવેલા કંચનમાં માનવ જીવન સેવા ટ્રસ્ટ ખાતે સેવા કાર્ય માટે મુલાકાત લેવામાં આવી હતી. સેવા ગ્રુપ દ્વારા આશ્રમમાં રહેતા માનસિક રીતે દિવ્યાંગ લોકો તેમજ શહેરમાં રખડતા ભટકતા લોકોની સેવા માટે બે તેલના ડબ્બા, ત્રીસ કિલો ચોખા, 25 કિલો ચોખા, ચાર નંગ બ્લેન્કેન્ટ સહિતની ચીજવસ્તુ દાનમાં આપવામાં આવી હતી. સાથો સાથ આશ્રમમાં રહેતા લોકોને સમોસા સહિત પેસ્ટ્રીનો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો. સાથો સાથ ગ્રુપના સભ્યો દ્વારા યોગ, સંગીત અને મોટીવેશનલ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.સેવા ગ્રુપ દ્વારા વોટસએપના માધ્યમથી સ્વેચ્છીક રીતે સભ્યો પાસેથી દાનની રકમ ઉઘરાવવામાં આવે છે. તેમજ દાનમાં મળેલી રકમમાંથી સમાજના છેવાડાના લોકો, બાળકો સહિતના જરૂરીયાતમંદ લોકોની સેવા માટે કાર્ય કરવામાં આવે છે.