Page Views: 10348

આજે સાંજે સુરતના આંગણે જય જવાન નાગરિક સમિતિ દ્વારા શહીદોના પરિવારોને આર્થિક સહાય અપાશે- સમગ્ર કાર્યક્રમનું લાઇવ પ્રસારણ જોવા જાહેર અપીલ

કોરોના કાળમાં મૃત્યુ પામેલા સુરતના પોલીસ જવાનોના પરિવારોને પણ આર્થિક સહાય અપાશે

સુરત-વર્તમાનન્યૂઝ.કોમ

વીર શહીદ પરિવારોના સન્માન  નિમિતે જય જવાન નાગરિક સમિતિ, સુરત તથા લેઉવા પાટીદાર સમાજ, USA આયોજીત "સમર્પણ ગૌરવ સમારોહ" નું જીવંત પ્રસારણ ઉપરોક્ત ટી.વી. તેમજ સોશિયલ મીડિયા ના માધ્યમ દ્વારા નિહાળવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. આ કાર્યક્રમમાં તમામ નાગરિકોને જોડાવા માટે જય જવાન નાગરિક સમિતિના કન્વિનર કાનજીભાઇ ભાલાળા સહિતના તમામ અગ્રણીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે. કાર્યક્રમમાં ગુજરાતના વીર શહીદોના પરિવારોને આર્થિક સહાય ચુકવવામાં આવશે ઉપરાંત સુરત શહેરમાં કોરોનાના સમયે ફરજ દરમ્યાન મૃત્યુ પામેલા પોલીસ જવાનો કે જેમને કોરોના વોરિયર તરીકે ઓળખવામાં આવે છે આવા પોલીસ જવાનોના પરિવારોને પણ સન્માન સાથે આર્થિક સહાય આપવામાં આવશે.