સુરત-વર્તમાનન્યૂઝ.કોમ
સુરત શહેર અને જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે આજે પણ કોરોનાના નવા 644 કેસ નોંધાતા તંત્રની પરેશાનીમાં વધારો થયો છે. આજે સુરત શહેરમાં કોરોનાના નવા 563 કેસ જ્યારે સુરત જિલ્લામાં કોરોનાના 81 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ચાર વ્યક્તિના કોરોનાના કારણે મોત થવાથી અત્યાર સુધીમાં સુરત શહેર અને જિલ્લામાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓની સંખ્યા 1173 થઇ ગઇ છે. આજે સુરતમાં કોરોનાના 601 અને જિલ્લામાં 94 દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાથી સુરત મહાનગર પાલિકા દ્વારા સતત લોકોને જાગૃત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ લોકોને સાવચેતી રાખવા માટે પણ સતત વિનંતી કરવામાં આવી રહી છે.
• Share •