સુરત-8-8-2020
સુરત શહેર અને જિલ્લામાં વકરેલા કોરોનાને કારણે સંખ્યાબંધ લોકોના મોત થયા છે. ત્યારે કાળમુખો કોરોના દક્ષિણ ગુજરાતના બે સહકારી અગ્રણીઓને પણ ભરખી ગયો છે. સુરત ડિસ્ટ્રીક બેન્કના માજી ચેરમેન, મઢી સુગરના માજી પ્રમુખ તેમજ બારડોલી સ્થિત સરદાર હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી દિલિપભાઇ ભક્તને છેલ્લા કેટલાક દિવસોથી કોરોના પોઝીટીવ આવ્યો હતો. તેમજ તેમની સારવાર ચાલી રહી હતી. કોરોનાના ઇન્ફેક્શનને કારણે દિલિપભાઇ ભક્તનું દુઃખદ અવસાન થયું છે. આ જ પ્રમાણે બારડોલી નાગરિક સહકારી બેન્કના ડિરેક્ટર અને સામાજીક અગ્રણી જગુભાઇ પટેલ ઉર્ફે અંકલને પણ કોરોના પોઝીટીવ આવ્યો હતો અને તેમનું પણ કોરોનાની સારવાર દરમ્યાન મોત થયું છે. આ બન્ને સહકારી આગેવાનો અનેક રીતે સમાજ ઉપયોગી કાર્યોમાં જોડાયેલા હતા તેમજ તેઓ સહકારી સંસ્થાઓમાં પણ કાર્યરત હતા. એક સાથે બે સહકારી અગ્રણીના મોતથી સુરત શહેર જિલ્લાના તેમજ દક્ષિણ ગુજરાતના સહકારી આગેવાનોમાં શોકની કાલિમા છવાઇ ગઇ છે.
• Share •