સુરત-4-7-2020
સુરતમાં રહેતા યુવાનના લગ્ન વર્ષ 2018માં મુંબઇ ખાતે રહેતી યુવતી સાથે થયા હતા. જો કે, આ પહેલા બે ત્રણ માસ પહેલા જ યુવાનના પિતા પથારીવશ થયા હતા અને થોડા સમયમાં યુવાનની માતાની તબિયત પણ લથડી હતી. જેથી યુવાન પોતાના માતા પિતાની ચાકરીમાં દોડધામ કરતો રહેતો હતો. આવા કપરા સંજોગોમાં પતિનો સાથ આપવાને બદલે યુવતી પોતાના પિયર ખાતે રહેવા જતી રહી હતી. સમાજના વડીલો અને આગેવાનો દ્વારા પત્નીને સમજાવીને પતિ સાથે જ રહેવા વારંવાર કહેવાયા છતા પણ તે માની ન હતી. આખરે યુવાને પોતાના એડવોકેટ કૃણાલ વાંસીયા અને પ્રીતિ જોશી મારફત સુરત ફેમિલી કોર્ટમાં છુટાછેડાનો દાવો દાખલ કર્યો હતો. કોર્ટ દ્વારા એડવોકેટ પ્રીતિ જોશી અને કૃણાલ વાંસીયાની દલીલોને ગ્રાહ્ય રાખીને આ દંપતિના છુટાછેડા પર મંજૂરીની મહોર મારી હતી. તેમજ પત્નીને સમાધાન સ્વરૂપે રૂ.15 લાખ જેટલી માતબર રકમ યુવાને ચુકવી હતી. સુરતમાં લોક ડાઉન બાદ છુટાછેડાનો આ પ્રથમ હુકમ કરવામાં આવ્યો છે.
• Share •