સુરત-4-7-2020
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલના ગુજરાત રિજયનના પ્રમુખ અને સુરત ડાયમંડ એસોસીએશનના માજી પ્રમુખ તેમજ ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ દિનેશભાઇ નાવડિયાના માતૃશ્રીનું આજ રોજ સાંજે દુઃખદ અવસાન થયું છે. સદગત કાશીબા નાવડિયા 81 વર્ષની ઉમરના હતા અને તેમને કોરોનાની બિમારી લાગુ પડી હતી. નાવડિયા પરિવાર દ્વારા તમામને વિનંતી કરવામાં આવી છે કે, સદગત કાશીબાનું ટેલિફોનિક બેસણું રાખવામાં આવશે અને અત્યારે કોઇને પણ ફોન ન કરવા માટે વિનંતી કરવામાં આવી છે.
• Share •