Page Views: 36610

રૂપિયા 20 લાખના તોડ પ્રકરણમાં મહિલા પીએસઆઇ શ્રધ્ધા જાડેજા ત્રણ દિવસના રિમાન્ડ પર

અન્ય પોલીસવાળાની સંડોવણી પણ બહાર આવવાની સંભાવના- એસીબી પણ તપાસમાં જોડાવા તત્પર

અમદાવાદ-4-7-2020

બળાત્કારના કેસમાં કંપનીના માલિકને ફીટ કરીને કાયદાનો ડર બતાવી તોડ કરવાના કેસમાં મહિલા પીએસઆઇ ઉપરાંત અન્ય પોલીસવાળાની સંડોવણી હોવાનું પણ બહાર આવવાની સંભાવના છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને 20 લાખની લાંચ લેવાનુ ભારે પડી ગયું છે. એસઓજીએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીના ઘરે, વતનમાં, લાંચની રકમ માટે રિમાન્ડ માંગવામાં આવ્યા છે. દુષ્કર્મનાં આરોપીને પાસામાં પુરી દેવાની ધમકી પીએસઆઈ શ્વેતા જાડેજાને ભારે પડી ગઈ છે. લોકોને લોકઅપમાં પૂરતી પીએસઆઈ શ્વેતા જાડેજા હવે ખુદ પોલીસ સંકજામાં આવી ગઈ છે. એસઓજીએ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જો કે, કોર્ટે 3 દિવસનાં જ રિમાન્ડ મંજૂર કર્યા હતા. લાંચમાં લીધેલા રુપિયા મેળવવા માટે રિમાન્ડની માગ કરાઈ હતી. હિલા પીએસઆઈ મુળ કેશોદની ત્યાં પણ તપાસ જરુરી છે. કેસમાં અન્ય કોણ કોણ આરોપી છે તેની પુછપરછ થશે. મહિલા પીએસઆઈના બેંક સ્ટેટમેન્ટની તપાસ થશે. કરપ્સનનો ગુનો હોઈ એસીબી તપાસમાં ઝંપલાવે તેવી શકયતા છે.

ઘટનાના બેકગ્રાઉન્ડમાં જઈએ તો 2017માં પશ્વિમ મહિલા પોલીસ સ્ટેશનમાં નરોડા વિસ્તારમાં આવેલી જીએસપી કોપ સાઈન્સ પ્રા.લિના એમડી કેનલ શાહ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાઈ હતી. બાદમાં બીજી ફરિયાદ પણ નોધાઈ હતી જેમાં એક ફરિયાદી મહિલા તેની પીએ હતી જયારે બીજી મહિલા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર. જેની એક ફરિયાદની તપાસ કરનાર મહિલા પી.એસ.આઈ.શ્વેતા જાડેજા અને બીજી ફરિયાદની તપાસ એસીપી ક્રાઈમ મીની જોસેફ કરતાં હતાં.

આ કેસમાં પીએસઆઈ શ્વેતા જાડેજાએ આરોપીને પાસામાં પુરી દેવાની ધાક ધમકી આપીને ડરાવ્યા હતા બાદમાં કેનલ શાહને મહિલા પોલીસ સ્ટેશનમાં બોલાવીને કાયદાનો દમ મારીને પાસા નહી કરવા માટે 35 લાખની માંગણી કરી હતી. આ કેસમાં પાસા નહી કરવા માટે પહેલાં 35 લાખ માંગ્યા બાદમાં 20 લાખની ડીલ ફાઈનલ થઈ હતી જેમાં આરોપીએ તેની ઓફિસમાં કામ કરતી જૈનાલી શાહ મારફતે સીજી રોડ પર આવેલી આર.સી. આંગડીયા પેઢીમાંથી 20 લાખ આપ્યાં હતા. આ રકમ પીએસઆઈએ તેના બનેવી જયુભા દ્રારા જામજોધપુર મોકલાવી હતી. હાલમાં મહિલા પીએસઆઈ શ્વેતા જાડેજાને 3 દિવસના રિમાન્ડ પર લેવાંયા છે તેમની સામે લાંચ લેવા બદલ ભ્રષ્ટાચાર આચરવાનો ગુનો દાખલ થયો છે આ કેસની વધુ તપાસંમાં અન્ય પોલીસ સ્ટાફની સંડોવણી પણ ખુલવાની શકયતા છે.