Page Views: 13235

ગણપતિ વિસર્જનમાં ભક્તોના ખિસ્સા કપાયા

હજીરા ખાતે વિસર્જન કરવા ગયેલા ત્રણ ભક્તોના મોબાઈલ ચોરાયા

સુરત-13-09-2019

સુરત શહેરમાં ગત રોજ ગણપતિ વિસર્જન દરમ્યાન પણ મોબાઇલ ચોરી કરનારાઓ દ્વારા કસબ અજમાવવામાં આવ્યો હતો અને કેટલાક ગણેશ ભક્તોના મોબાઇલ ચોરને નાસી છુટયા હતા. દિલ્હીગેટ ખાતે રહેતા જયનેશભાઇ કૌશિક ભાઇ મોદી હજીરા ખાતે ગણેશ વિસર્જનનું પોતાના મોબાઇલમાં શુટીંગ કરતા હતા ત્યારે તેમના ખીસ્સામાંથી બીજો આઇ ફોન મોબાઇલ કોઇ અજાણ્યો તસ્કર લઇને નાસી ગયો હતો. અન્ય એક બનાવમાં પાંડેસરા આકાશ રો હાઉસ ખાતે રહેતા હિતેશભાઇ જીતેન્દ્રભાઇ સોલંકીના ખીસ્સામાંથી પણ હજીરા જેટ્ટી ખાતેથી કોઇએ મોબાઇલ ફોન સેરવી લીધો હતો. જ્યારે ત્રીજા બનાવમાં ઉધના બી આર સી મંદિર સામે હરીઓમ નગર ખાતે રહેતા કૃણાલ પ્રફુલભાઇ ડાભીના ખીસ્સામાંથી કોઇએ મોબાઇલ ફોન સેરવી લીધો હતો. હજીરા જેટ્ટી ખાતેથી અન્ય ગણેશ ભક્તોના પણ મોબાઇલ ફોન ચોરાયા હોવાનું જાણવા મળે છે. હાલમાં હજીરા પોલીસે આ ત્રણેય ઘટના અંગે મોબાઇલ ચોરીના ગુના દાખલ કરીને તપાસ હાથ ધરી છે.