Page Views: 19107

ચેમ્બર દ્વારા જીએસટી રીફંડ પ્રક્રિયા વિશે અવેરનેસ સેશનનું આયોજન

ગુગલ લીંક http://bit.ly/2ZY1uPg ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરો

સુરત-13-08-2019

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બુધવારે તારીખ ૧૪મી ઓગસ્ટ ૨૦૧૯ના રોજ સાંજે ૫:૫૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે જીએસટી રીફંડ પ્રક્રિયા વિષય ઉપર અવેરનેસ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત વક્તાઓ તરીકે જાણીતા એડવોકેટ એન્ડ જીએસટી કન્સલ્ટન્ટ હિમાંશુ જોશી અને મનોજ દેસાઈ હેતુલક્ષી વક્તવ્ય રજુ કરી જીએસટી રીફંડ કઈ રીતે મેળવી શકાય તે વિશે મહત્વનું માર્ગદર્શન આપશે.

આ અવેરનેસ સેશનમાં ભાગ લેવા માટે ઓનલાઈન ગુગલ લીંક http://bit.ly/2ZY1uPg ઉપર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહશે.