Page Views: 24649

ત્રીજા તબક્કાનું મતદાન ૨૩મી એ : આવતીકાલથી ચુંટણી પ્રચાર બંધ

ત્રીજા તબક્કાની ૧૪ રાજયોની ૧૧પ બેઠકો માટે મતદાન થશે

નવી દિલ્હી-20-04-2019

આગામી તારીખ ર૩મી એપ્રિલના રોજ લોકસભાની ત્રીજા તબક્કાની ૧૪ રાજયોની ૧૧પ બેઠકો માટે મતદાન થશે. જે માટેના જાહેર પ્રચાર પડઘમનો આવતીકાલે સાંજે અંત આવશે. મંગળવારના મતદાન સાથે કુલ ૩૦૬ બેઠકની ચૂંટણી પૂર્ણ થશે.

ત્રીજા તબકકા માટે આજે જોરદારપ્રચાર  થઇ રહ્યો છે. તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કાર્ય કરી રહ્યાં છે. પીએમ મોદી આજે પ.બંગાળ, બિહાર, યુપીમાં સભાઓ સંબોધી હતી.જયારે રાહુલ ગાંધી પણ બિહાર - છત્તીસગઢમાં રેલી યોજી હતી.

ર૩મી એપ્રિલના રોજ ગુજરાતની ર૬ બેઠકો, કેરળ, ગોવા, દાદરાનગર હવેલી, દમણ અને દીવ તથા પોંડીચેરીની તમામ તથા આસામની ચાર બેઠકો, બિહારની પાંચ, છતીસગઢની સાત, કર્ણાટકની ૧૪, મહારાષ્ટ્ર મહારાષ્ટ્રની ૧૪ બેઠકો, ઓડીશાની ૬ બેઠક, યુપીની ૧૦ બેઠક, પશ્ચિમ બંગાળની પ બેઠક, અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક માટે મતદાન થશે. પ૪૩ બેઠકો માટે કુલ ૭ તબક્કાની ચૂંટણી યોજાવાની છે. ર૩મી મેએ પરિણામ આવશે.

ગુજરાતમાંથી ભાજપના અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડતા હોઇ આ ત્રીજા તબક્કાની ચૂંટણી ઘણી રસપ્રદ બની છે તેઓ ગાંધીનગરથી ચૂંટણી  લડી રહ્યાં છે. તો ત્રીજા તબક્કામાં જયાપ્રદા, આજમખાન, વરૂણ ગાંધી વગેરેનું રાજકીય ભાવિ નકકી થશે. વિપક્ષ માટે ત્રીજુ ચરણ ઘણુ મહત્વનું છે. જયારે સત્તા પક્ષ પોતાનો કિલ્લો મજબુત કરવા માટે આ બેઠકો ઉપર નજર રાખી બેઠો છે. કેરળની ર૦ બેઠક તેના માટે મહત્વની છે.