Page Views: 40050

જહાંગીરપુરામાં આવેલ ૧૦ માળની બિલ્ડીંગના સાતમાં માળે લાગી આગ

ફાયરે ક્રેનથી સાતમાં માળે પહોચી આગ પર પાણીનો મારો ચલાવ્યો

સુરત-18-10-2018

જહાંગીરપુરામાં આવેલ ૧૦ માળની માધવ પ્લેટીનીયમ રેસીડેન્સીના સાતમા માળે ફ્લેટમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ માધવ પ્લેટીનિયમ રેસીડેન્સીના સાતમા માળે એક ફ્લેટમાં આજે સાંજે આગ ફાટી નીકળી હતી. આગના પગલે રેસીડેન્સીમાં રહેતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જયારે આગને કારણે ધુમાડાના ગોટેગોટા દુર સુધી જોવા મળ્યા હતા. આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદ ક્રેન દ્વારા ફ્લેટ સુધી ફાયરના જવાનો પહોચી ફ્લેટની અંદર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમતે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે આગના કારણે ફ્લેટના ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ લાગી તે દરમિયાન તે ફ્લેટ અને આસપાસના ફ્લેટ માં કોઈ હાજર ન હોવાથી જાનહાની થઇ નથી. જયારે રેસીડેન્સીના સાતમા માળે લાગેલી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.