ભાવનગર-21-09-2018
સ્વાઈન ફ્લુ ફરી એકવાર હાવી થયો હોય તેવું લાગી રહ્યું છે. સુરત સહીત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા લોકોમાં સ્વાઈન ફ્લુ પોઝિટીવ આવ્યા છે. જયારે ભાવનગર માં માત્ર ૨૪ કલાકમાં ત્રણ મહિલાઓને સ્વાઈન ફ્લુ ભરખી ગયો છે. જયારે અન્ય પાંચ સારવાર લઇ રહ્યા છે. જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
ભાવનગરમાં સ્વાઇન ફલુથી વધુ એક મહિલાનું મોત નિપજતા સ્વાઇનફલુથી મૃત્યુ આંક ત્રણ થયો છે. જેમાં એક સગીર, વૃદ્ધ અને મહિલાનો સમાવેશ થાય છે. ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં સારવાર લઇ રહેલા તળાજાના સગીર અને વલ્લભીપુરના વૃદ્ધનું સ્વાઈન ફ્લુમાં મૃત્યુ નીપજ્યું છે. જયારે અન્ય એક હોસ્પિટલમાં બોટાદની મહિલાએ છેલ્લા શ્વાસ લીધા હતા. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં બે તથા સર.ટી. હોસ્પિટલમાં ૩ મળી કુલ પાંચ દર્દીઓને સ્વાઈન ફ્લુની સઘન સારવાર આપવામાં આવી રહી છે.જયારે ત્રણ સ્વાઇન ફલુનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતાં દર્દીઓ દાખલ છે. જેનાં રીપોર્ટ પરીક્ષણ અર્થે અમદાવાદ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. સ્વાઇનફલુથી ૩નાં મોત નિપજતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.
• Share •