સુરત-14-07-2018
ઉધના વિસ્તારમાં આવેલા કૈલાસનગર પાસે એક યુવકને અજાણ્યા ત્રણ લોકોએ મોપેડ પર જતી વખતે ઘેરીને ઉપરછાપરી ચપ્પુના ઘા ઝીંકી દઈને હત્યા કરવામાં આવી છે. હત્યાઓ નાસી ગયા બાદ એકઠાં થયેલા લોકોએ બનાવ અંગે ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. જેમાં યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતી. જે અંગે પોલીસે સ્થાનિક સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્ર ના જળગાવના વતની અને પાંડેસરા વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય સમાધાન પવાર નામના યુવકને આજે ઉધના વિસ્તારમાં બાઈક પર આવેલા અજાણ્યા ત્રણ યુવકોએ આંતર્યો હતો. બાદ કઇક વાત કરીને અચાનક અજાણ્યા યુવકોએ સમાધાનને છાતીના ભાગે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જેમાં સમાધાન ત્યાં જ રોડ પર ઢાળી પડ્યો હતો.જેથી લોકોના ટોળા એકઠાં થયાં હતાં. અને તેઓએ પોલીસની સાથે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી હતી. યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે રથયાત્રા અગાઉ જ યુવકની હત્યાને લઈને વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો. જો કે, પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવાની સાથે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો. સાથે જ સ્થાનિક વિસ્તાર માંથી મળેલા સીસીટીવીને આધારે હત્યારાઓની વધુ તપાસ હાથ ધરી છે.
• Share •