Page Views: 83830

જ્જ લોયા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભાજપે કહ્યું, રાજકીય હેતુ માટે દાખલ કરાઇ અરજી

છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો જે પ્રકારે ન્યાય પ્રક્રિયાનુ રાજકારણ કરી રહ્યું છે આજે તેનો પર્દાફાશ થઇ ગયો

               સુપ્રીમ કોર્ટમાં જસ્ટીસ લોયાના મોત પર તપાસ પર આપેલા ચુકાદાના નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટીએ પત્રકાર પરીષદ યોજી. આ દરમિયાન ભાજપાના પ્રવકતા સંબિત પાત્રાએ કહ્યું કે કોર્ટમાં રાજકીય હેતુ માટે અરજી દાખલ કરવામાં આવી છે. સંબિત પાત્રાએ કહ્યું કે ગત છેલ્લા કેટલાક સમયથી કેટલાક લોકો જે પ્રકારે ન્યાય પ્રક્રિયાનુ રાજકારણ કરી રહ્યું છે આજે તેનો પર્દાફાશ થઇ ગયો છે.

                 રાજકીય હિત સિદ્ધ કરવા માટે PIL કરવામાં આવી છે. રાહુલ ગાંધી પ્રજાનો ભરોસો ખોઇ બેઠા છે. કોંગ્રેસ પાસે સત્તા ના હોવાથી આવું કરી રહી છે.