ગાંધીનગર:-
આજે રાજ્યના મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને આ બેઠક મળશે. આ બેઠકમાં રાજ્યમાં પાણીની સ્થિતિ અંગે ચર્ચા વિચારણા થઈ શકે છે.
એક તરફ ઉનાળો શરૂ થઈ ગયો છે અને રાજ્યમાં પાણીની તંગી વર્તાઈ રહી છે. બીજી તરફ નર્મદાના નીર પણ સૂકાઈ રહ્યા છે. એવામાં રાજ્યના લોકોને પાણી પૂરું પાડવા અંગે સરકાર ચર્ચા વિચારણા કરી શકે છે. આ ઉપરાંત નર્મદા ડેમની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી શકે છે.આજે સવારે 10 વાગ્યે વિધાનસભાના કેબિનેટ હોલમાં બેઠક મળશે. આ બેઠકમાં પાણીના પ્રશ્ન સિવાય મગફળી અને તુવેરની ખરીદી પર પણ ચર્ચા થશે. સરકારની નીતિવિષયક બાબતો પર પણ ચર્ચા થશે.
• Share •