Page Views: 28924

ગુજરાતમાં પદ્માવતીની રીલીઝને મંજુરી નહીં અપાય :વિજય રૂપાણી

' પદ્માવતી ' નું નામ ' પદ્માવત ' કરીને તેને 25 જાન્યુઆરીએ રીલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે

ગાંધીનગર:-

 

            સંજય લીલી ભણસાળીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતીની રીલીઝ અંગે ભલે સેન્સર બોર્ડમાંથી ગ્રીન સિગ્નલો મળી રહી હોય પરંતું ગુજરાત સરકાર હજુ પણ આ ફિલ્મને રીલીઝ કરવા તૈયાર નથી.એવું માનવામાં આવે છે કે ' પદ્માવતી ' નું નામ ' પદ્માવત ' કરીને તેને 25 જાન્યુઆરીએ રીલીઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.

            જો કે ગુજરાત સરકારે ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે પદ્માવતીને રાજ્યમાં રીલીઝ નહીં કરવા દેવાય.સમાચાર એજન્સી એએનઆઇમાં આવેલા ન્યુઝ પ્રમાણે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ કહ્યું છે કે ગુજરાતમાં પદ્માવતીને રીલીઝની મંજુરી નહીં અપાય.જો કે આ અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પદ્માવતી ફિલ્મને રીલીઝને લઇને જાહેરાત કરી ચુક્યા છે.વિજય રૂપાણીએ અગાઉ પણ કહ્યું હતું કે રાજ્યમાં પદ્માવતી ફિલ્મને રીલીઝ કરવાની મંજુરી નહીં મળે.આ અગાઉ રાજસ્થાન અને ગોવાની સરકાર પણ પદ્માવતી ફિલ્મને તેમના રાજ્યમાં રીલીઝ નહીં કરવા દેવાની જાહેરાત કરી ચુકી છે