નવી દિલ્હી:-
આધાર કાર્ડ બાબતે સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટ સમક્ષ સુનાવણી કરવાની માંગણીને લઈને મેશનિંગ કરવામાં આવી. સીનિયર એડવોકેટ શ્યામ દીવાને કહ્યું કે આધારકાર્ડને વિભિન્ન સરકારી યોજનાઓ સાથે લિંક કરવાનો સમય 31 ડિસેમ્બર સુધી પૂરો થનાર છે. એવામાં આધારકાર્ડ બાબતે અંતિમ રાહતની અરજી બાબતે સુનાવણી થવી જોઈએ. કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ કે. કે વેણુગોપાલે કહ્યું કે સરકાર દ્વારા આધારકાર્ડને લિંક કરવાની સમય મર્યાદા વધારવામાં આવી રહી છે. જેની તારીખ 31 માર્ચ સુધી નક્કી કરવામાં આવશે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે અંતિમ રાહત મેળવવા દાખલ કરાયેલ અરજીઓ પર સુનાવણી કરશે અને તેની સુનાવણીમાં એ નક્કી કરાશે કે આધાર બાબતે બંધારણીય બેન્ચ ક્યારથી સુનાવણી શરૂ કરશે?
• Share •