Page Views: 22328

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો પત્ર વાયરલ: જાણો શું છે સત્ય!

ભરતસિંહ સોલંકીએ આ પત્ર ખોટો હોવાનું જણાવી આ ફેક પત્ર માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું

અમદાવાદ:-

        ગુજરાત વિધાનસભાની ચુંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીનાં રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે ભરતસિંહ સોલંકીએ આ પત્ર ખોટો હોવાનું જણાવી આ ફેક પત્ર માટે ભાજપને જવાબદાર ઠેરવ્યું હતું.

        ભરતસિંહ સોલંકીએ મિડિયા સમક્ષ વાત કરતાં જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલા પણ કોંગ્રેસના ઉમેદવારોની ખોટી યાદી સોશિયલ મીડિયામાં ફરતી થઇ હતી અને હવે ભાજપ દ્વારા મારા રાજીનામાનો ખોટો પત્ર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. હું કોંગ્રસ માં જ છું અને મેં કોઈ રાજીનામું આપ્યું નથી આવા ખોટા પત્રો ફરતા કરનારને ગુજરાતની જનતા આગામી ચૂટણીમાં જડબાતોડ જવાબ આપશે.