Page Views: 20546

કાશ્મીરના પુલવામાં એક આતંકવાદી ઠાર: બે જવાન શહીદ

જૈસ-એ-મહોમ્મદ સંગઠનનો આતંકવાદી ઠાર મરાયો

કાશ્મીર:

        કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સેનાની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો અને બે જવાન શહીદ થયા જ્યારે એક જવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

        ગત્ મોડી રાતે પુલવામાના સંબુરા ગામમાં સરહદેથી આતંકવાદીઓ અંધારાનો લાભ લઈને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે જ સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. ઠાર કરવામાં આવેલ આતંકવાદીનું નામ બદર હતુ અને તે જૈસ-એ- મહોમ્મદ આતંકવાદી સંગઠનનો હોવાનું જાણવા મળ્યુ હતુ.