Page Views: 30467

મોડાસામાં ઠાકોર સમાજ દ્વારા અલ્પેશ ઠાકોરના પૂતળાનું દહન

કોંગ્રેસમાં પ્રવેશ કરી અલ્પેશ ઠાકોરે સમાજ સામે દ્રોહ કર્યો હોવાના આક્ષેપો સાથે કાર્યકરો દ્વારા વિરોધ

મોડાસા:-

        અરવલ્લી જિલ્લાના વડામથક મોડાસા ખાતેના બાયપાસ માર્ગની મેઘરજ રોડ ચોકડી ખાતે ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોરના પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં મોટીસંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. આગામી ડીસેમ્બર માસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.ત્યારે રાજયભરમાં રાજકીય ગરમાવો ઉંચા તાપમાને પહોંચી રહયો છે.

        કોંગ્રેસના નવસર્જનથી આકર્ષાઈ એકતા મંચના કન્વીનર અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પક્ષમાં જોડાતાં મીશ્ર પ્રત્યાઘાતો સર્જાઈ રહયા છે. રાજકારણથી દૂર રહી એસસી,એસ.ટી. અને ઓબીસી સમાજની એકતા અને હિતમાં કાર્ય કરવાની વારંવાર ઘોષણા કરતા અલ્પેશ ઠાકોર અંતે કોંગ્રેસ માં જોડાતાં તેઓના આ નિર્ણયના વિરોધમાં ઠેરઠેર રોષ છવાયો હતો.મોડાસા ખાતેના બાયપાસ માર્ગની મેઘરજ ચોકડી પર એકઠા થયેલા ઠાકોર સમાજના અગ્રણીઓ અને અન્ય કાર્યકરો દ્વારા દ્વારા મંગળવારના રોજ અલ્પેશ ઠાકોર ના પૂતળાનું દહન કરાયું હતું. સમાજ સાથે અલ્પેશ ઠાકોરે દ્વોહ કર્યોહોવાનો આ અગ્રણીઓ એ આક્ષેપ કરતાં અલ્પેશ ઠાકોર વિરૃધ્ધ સૂત્રોચ્ચાર યોજયો હતો. આ કાર્યક્રમમાં રૃપસિંહ પરમાર(ગાજણ),પૃથ્વીસિંહ,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય ચતુરસિંહ પરમાર, સુરેશભાઈ ખાંટ,તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી ભીખુસિંહ પરમાર સહિતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.