સુરત-12-10-2017
શહેરમાં ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરનારા રીક્ષા ચાલકો સામે આખરે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી છે. સુરત શહેર વિસ્તારમાં પેસેન્જર વાહનોમાં આર.ટી.ઓ. પાર્સિંગ વખતે પેસેન્જરોની જે સંખ્યા નક્કી કરવામાં આવી હોય છે તેના કરતા વધારે પેસેન્જરો બેસાડાતા હોય છે. તેના કારણે અકસ્માત થવાનો પુરેપુરો સંભવ હોય છે અને અકસ્માત વખતે જાનહાનિ થવાની શક્યતાઓ હોય છે.
જેને લઈને શહેર ટ્રાફિક વિભાગ દ્રારા ગતરોજ શહેરનાં અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ ઉપર વાહન ચેકીંગની ઝુબેશ રાખવામાં આવી હતી. જેમાં ટ્રાફિકના નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જે અંતર્ગત એક રીક્ષામાં ત્રણથી વધારે પેસેન્જર બેસાડનારા રીક્ષાચાલકો સામે મો.વ્હી.એક્ટ કલમ-૨૦૭ મુજબ કુલ ૪૭૯ રીક્ષાઓ ડીટેઇન કરવામાં આવી છે. આ સિવાય ઇ.પી.કો.કલમ-૨૮૩ મુજબ ૮ કેસો તથા ૧૨૦૨ વગર હેલ્મેટના કેસો અને ૩૩૯ સીટ બેલ્ટના કેસો નોંધાયા છે.
• Share •