Page Views: 20050

અરૂણાચલ પ્રદેશમાં ભારતીય હેલિકોપ્ટર ક્રેશઃ છના જવાનના મોત એક ઘાયલ

એરફોર્સ મેન્ટેનન્સનો સામાન લઈને જઈ રહ્યુ હતુ હેલિકોપ્ટર

અરૂણાચલ પ્રદેશ:-

 

             MI17 V5 ભારતીય એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થતા 6 લોકોના મોત થયા છે. અને એક ગંભીર રીતે ઘાયલ છે. .

            અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદથી 12 કિ.મી દૂર ટેકનીકલ ખામીને કારણે ભારતીય વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયુ છે. એરફોર્સ દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઘટના અરૂણાચલ પ્રદેશના તવાંગ પાસે ખિરમૂ વિસ્તારમાં ઘટી હતી. હેલિકોપ્ટર એર મેન્ટેન્સનો સામાન લઈને ઉડ્ડયન કરી રહ્યુ હતુ. આ ગોઝારો અકસ્માત સવારે 6 વાગ્યાની આસપાસ ઘટ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આઠમી ઓક્ટોબરે વાયુસેના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.