સુરત:-
શહેરના સગરામપુરા વિસ્તારમાં આવેલી શ્રી મહાવીર હોસ્પિટલમાં આજરોજ નવા ફિઝીયોથેરાપી ક્લિનિકનું પ.પૂ. સ્વામી કે.પી.શાસ્ત્રીજીના હસ્તે ઉદ્ધઘાટન કરાયું હતું. જેમાં દરેક લોકોને રાહત દરે ફિઝીયોથેરાપી સારવાર આપવામાં આવશે.
શ્રી મહાવીર જનરલ હોસ્પિટલના તમામ ટ્રસ્ટીઓ તથા કડોદરા સ્થિત શ્રી સ્વામિનારાયણ ફિઝીયોથેરાપી કોલેજના સહકારથી આજરોજ શ્રી મહાવીર હોસ્પિટલમાં જ નવું ફિઝીયોથેરાપી ક્લિનિકનું પૂ. સ્વામી કે.પી.શાસ્ત્રીજીના હસ્તે ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં રાહતદરે ફિઝીયોથેરાપી સારવાર આપવામાં આવશે. તો આજુબાજુના વિસ્તારમાં રહેતા જરૂરીયાતમંદ વ્યક્તિઓને અચૂક લાભ લેવા પ.પૂ. અક્ષર સ્વામીએ જણાવ્યું છે.
• Share •