Page Views: 22091

ખેડા જીલ્લામાં લવ જેહાદ સામે કલેક્ટરને આવેદનપત્ર: 3000 લોકો જોડાયા

થોડા દિવસ અગાઉ હૈજરાબાદ ગામમાં વિર્ધમી યુવાન હિન્દુ યુવતીને ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે

નડિયાદ:-

                 ખેડા જિલ્લાના તાલુકા મથક માતરના લવજેહાદ  પ્રકરણ ચરમસીમાંએ પહોંચ્યું છે. ગુસ્સે ભરાયેલા હિન્દુ સમાજે આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું  છે.જેમાં ૩૦૦૦ જેટલા હિન્દુઓ જોડાયા હતાં. ખેડા જિલ્લામાં છેલ્લા એક માસમાં લવજેહાદના ત્રણ કિસ્સા સામે આવ્યા છે.જેના કારણે હિન્દુ સમુદાયમાં આક્રોશ ઉભો થયો છે.

                થોડા દિવસ અગાઉ હૈજરાબાદ ગામમાં વિર્ધમી યુવાન હિન્દુ યુવતીને ભગાડી જતા હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે.આવા બનાવો અટકાવવા અને હિન્દુ યુવતીને પાછી લાવવા માંગ કરવામાં આવી છે. આજ રોજ ખેડા જીલ્લા સમાહર્તાને વિશ્વ હિન્દુ પરીષદ અને બંજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોએ તેમજ હૈજરાબાદમાં જે યુવતીને વિર્ધમી યુવાન ભગાડી ગયો છે તેના પરિવારજનોએ લવજેહાદના મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જીલ્લાભરમાંથી ત્રણ હજારથી વધુ લોકો જોડાયા હતા. ભારે આક્રોશ સાથે જીલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી કે છેલ્લાં કેટલાય સમયથી મુસ્લિમો દ્વારા કોઈના કોઈ કારણોસર હેરાનગતી કરવામાં આવી રહી છે. આ હેરાનગતીના ભાગ રૃપે જીલ્લામાં લવજેહાદના બનાવો વધી રહ્યા છે. જીલ્લાના દલોલી, નેસ અને તાજેતરમાં હૈજરાબાદમાં આવા કિસ્સા બન્યા છે. જેમાં હિન્દુ યુવતીઓને વિર્ધમી યુવાનો પોતાની પ્રેમજાળમાં ફસાવી ગેરમાર્ગે દોર છે.  જેમાં નેસ ગામની યુવતીએ તો પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. મુસ્લિમ યુવાનો દ્વારા અલગ અલગ ગામોની અંદર સુખી, સંસ્કારી અને પ્રતિષ્ઠિત પરીવારની હિન્દુ બહેન દિકરીઓને પ્રેમજાળમાં ફસાવવાનું પૂર્વ આયોજીત ષળયંત્ર ચાલી રહ્યુ હોય તેમ લોકોમાં ચર્ચાય છે. તેમને પોતાના પ્રેમમાં ફસાવી ધમાંર્તરણ પણ કરવામાં આવી રહ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાજેતરમાં હૈજરાબાદ ગામની મેડીકલ લાઈનમાં અભ્યાસ કરતી પાટીદાર પરીવારની ૨૧ વર્ષિય દિકરીને ગામનો મુસ્લિમ યુવાન જેનું નામ શાહરૃખ રહીમખાન પઠાણ તે ભગાડી ગયો છે.યુવકના પિતા ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને એક હત્યાના આરોપી છે. ત્યારે આ દિકરીને મુસ્લિમ યુવાનના સંકજામાંથી છોડાવવા માંગ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાત સરકારના ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિકાર અધિનીયમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે મુસ્લિમોના ચહેરા ખુલ્લા ના પડી જાય તે માટે મુસ્લિમો હિન્દુ દિકરીઓને ફસાવી ગુજરાત રાજ્ય બહાર ભગાડી જઈ નિકાહ કરાવી મુસ્લિમ બેગમ બનવા માટે મજબુર કરે છે. ત્યારે હૈજરાબાદની ઘટનામાં યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવાનને મદદકરનારા શેખ ઈરફાન ઉર્ફે બલ્લીની સામે પણ પગલાં ભરવા માંગ કરવામાં આવી છે. તેમજ લવજેહાદની પ્રવૃત્તિને રોકવા ખાસ ટીમ બનાવી તપાસ કરવા માંગણી કરવામાં આવી છે. જો આવુને આવુ ચાલશે તો હિન્દુ સમાજ તેને સાખી નહી લે તેમ પણ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે.