Page Views: 12514

RBIએ રૂ. ૨,૦૦૦ની નોટના સપ્લાયને લગાવી બ્રેક

સિસ્ટમમાં મોટી કરન્સીનું પ્રમાણ ઘટાડવાની અટકળોઃ એટીએમમાં રૂ. ૫૦૦ની નોટ સૌથી વધુ નંખાય છે

મુંબઇ:

        છેલ્લા કેટલાક સમયમાં રૂ.૨,૦૦૦ની નોટની તીવ્ર તંગીને કારણે બેન્કર્સ અને ATMઓપરેટર્સ મુશ્કેલીમાં મૂકાયા છે. દેશના કેટલાક ભાગોમાં નોંધપાત્ર વપરાશ અને સંગ્રહખોરીને કારણે રોકડની તંગીની સ્થિતિ છે. બેન્કર્સ અને ATM ઓપરેટર્સના જણાવ્યા અનુસાર સિસ્ટમમાં રૂ.૨,૦૦૦ની નોટની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

          રિઝર્વ બેન્ક અર્થતંત્રમાં મોટા ચલણની નોટનો વપરાશ નિયંત્રિત કરવા ઇરાદાપૂર્વક રૂ.૨,૦૦૦ની નોટનું પ્રમાણ ઘટાડી રહી હોવાની અટકળો છે. SBIના ચીફ ઓપરેટિંગ ઓફિસર નીરજ વ્યાસે જણાવ્યું હતું કે, 'RBIતરફથી અમને રૂ.૨,૦૦૦ની નોટ મળતી નથી. ઊંચા મૂલ્યની કરન્સીમાં અમને માત્ર રૂ.૫૦૦ની નોટ મળી રહી છે. ૨,૦૦૦ની નોટ માત્ર રિસકર્યુલેશનના કારણે બેન્કમાં આવે છે.ઉલ્લેખનીય છે કેદેશમાં સક્રિય કુલ ૨.૨ લાખ ખ્વ્પ્માંથી SBI ૫૮,૦૦૦ ATMનું મેનેજમેન્ટ કરે છે. SBIએ એક ડગલું આગળ વધીને કેટલાંક ATMમાં રૂ.૨,૦૦૦ની કરન્સી કેસેટ્સને બદલી રૂ.૫૦૦ની કેસેટ્સમાં ફેરવી છે. જેથી ATMs મશીનમાં વધુ રોકડ ભરી શકાય. રિઝર્વ બેન્ક રૂ.૫૦૦ની નોટ પૂરતા પ્રમાણમાં સપ્લાય કરી રહી છેજેથી રોકડની તંગી ઊભી ન થાય. બેન્કર્સના જણાવ્યા અનુસાર રૂ. ૨,૦૦૦ની નોટ પર અંકુશ સિસ્ટમમાંથી મોટી નોટ ઘટાડવાની RBI રણનીતિનો ભાગ હોઈ શકે. બેન્કો વતી ૬૦,૦૦૦ ATMsનું સંચાલન કરતી AGS ટ્રાન્ઝેકટના એમડી રવિ ગોયલે જણાવ્યું હતું કે,',૦૦૦ની કરન્સીનો સપ્લાય ચોક્કસ ઘટ્યો છેપણ બેન્કો રૂ.૫૦૦ની નોટ આપતી હોવાથી એકંદર સપ્લાયમાં ઘટાડો નોંધાયો નથી.'