જુનાગઢ:
ગતરાતથી ગુજરાતભરમાં વરસાદ શરૂ થતાં રાજ્યભરમાં વાહન વ્યવહારની સ્થિતિ ખોરવાઇ ગયા જેવી થઇ છે. દરમિયાન એસ.ટી. તંત્રના પણ અર્ધો-અડધ બસો બંધ કરી દેવાઇ છે.
એસ.ટી. તંત્રના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ આજે ગામડાઓના રૂટ બંધ કરી દેવાયા છે. માત્ર હાઇવે ઉપરનાં રૂટની બસ જ ચાલુ રખાઇ હતી. જુનાગઢ એસ.ટી. ડેપો સહિત મુખ્ય ડેપોનાં કંટ્રોલરૂમને સતત ધમધમતા રાખવામાં આવ્યા હતા.
• Share •