રાજકોટ :
સમગ્રદેશમાં 16 જૂનથી પેટ્રોલ-ડીઝલના ભાવ રોજે રોજ નક્કી થાય છે. પધ્ધતિ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનને મંજૂર હોવા છતાં જબરદસ્તીથી લાગુ કરવામાં આવી હોય તેના પરિણામે પેટ્રોલપંપ સંચાલકોને એવરેજ રૂ.50 હજાર જેવું નુકસાન થતું હોય સરકારની નીતિના વિરોધમાં બુધવારે રાજકોટના 400 સહિત દેશના 55000 પેટ્રોલપંપ સંચાલકો દ્વારા ‘નો પર્ચેઝ’ નીતિ અપનાવી પેટ્રોલ-ડીઝલનો જથ્થો નહીં ઉપાડવાનો નિર્ણય કરાયો છે.
ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ત્રણેય સરકારી ઓઇલ કંપનીઓએ 16 જૂનથી આંતરરાષ્ટ્રીય ક્રૂડ ભાવ મુજબ પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલના દરરોજના ભાવ ફેરની નીતિના કારણે ગુજરાતના 4000 પેટ્રોલપંપ સંચાલકોને 15 દિવસમાં અંદાજે રૂ.200 કરોડનું નુકસાન થયું છે. શનિવાર અને રવિવારે આંતરરાષ્ટ્રીય ક્રૂડ બજાર બંધ હોવા છતાં તે દિવસે પણ ભાવની વધઘટ કરાઇ છે. બાબતે રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો આવતા ‘નો પર્ચેઝ’નો નિર્ણય કરાયો છે. પેટ્રોલ-ડીઝલ ‘નો પર્ચેઝ’ના કાર્યક્રમ બાદ ઓઇલ કંપનીઓ દ્વારા દરરોજ ભાવ ફેરની નીતિ, ડીલર કમિશન, વધારે પડતી ઘટ, એમડીજી જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો 12 જુલાઇએ પેટ્રોલ-ડીઝલની ખરીદી કે વેચાણ કરાશે નહીં. ડીલર કમિશન, વધારે પડતી ઘટ સહિતના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 12 જુલાઇએ ખરીદ-વેચાણ ઠપ કરી દેવાશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.
• Share •