Page Views: 61251

ઉગત કેનાલ રોડ સ્થિત વસાહતના મકાનમાં લાગી આગ: ચાર મકાનના ફર્નિચર થયા ખાક

ઉગત કેનાલ રોડ પર વસાહતમાં ચારેય મકાનોનો ફર્નિચરના ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો

સુરતઃ 

       

        ઉગત કેનાલ રોડ પર ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા ચાર મકાનમાં આગ પ્રસરતા ભાગદોડ મચી ગઈ હતી. સદ્નસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી.

          પ્રાપ્ત વિગતોનુસાર,ઉગત પાલનપુર કેનાલ રોડ પર સાઈડ એન્ડ સર્વિસ સેવા વસાહતમાં આવેલા ફર્નિચરના ગોડાઉનમાં શોર્ટસર્કીટથી આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા ચાર મકાન જોતાજોતામાં આગની લપેટમાં આવી જતા વસાહતમાં ભાગદોડ મચી ગઈ હતી. બનાવની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ચારેય મકાનમાં મુકેલું ફર્નિચરનું મટીરીયલ આગમાં બળીને ખાખ થઈ ગયું હતું. સદનસીબે આગની આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.